હરીન્દ્ર જયંતીલાલ દવે (૧૯-૯-૧૯૩૦, ૨૯-૩-૧૯૯૫): કવિ, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક, અનુવાદક. જન્મ
કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.
૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક.
'સમકાલીન' વર્તમાનપત્રમાં
તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં
સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ.
૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા
કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની
સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે.
વર્ષો સુધી કટારલેખન કર્યું છે.
સૌજન્ય : gujaratisahityaparishad
