રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી (૨૭-૬-૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯):
વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ
જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. ૧૯૧૦માં
વઢવાણથી મેટ્રિક. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭થી
૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, સાંતાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બાદ મીઠીબાઈ
કૉલેજ, વિલેપાર્લેમાં
ગુજરાતીના અધ્યાપક. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર.
૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૦-૬૪નો
નર્મદચંદ્રક. મુંબઈમાં અવસાન.
પંડિતયુગનું પ્રતિબિંબ આપતી વ્યક્તિત્વમુદ્રાથી અંકિત આ
લેખકની સંસ્કૃતસાહિત્યની સમજનો અંગ્રેજીસાહિત્યની સમજથી સંયોગ થયેલો જોવાય છે.
બહુશ્રુતતાનો સ્પર્શ, અર્થઘટનની
દ્યોતકતા, શાસ્ત્રીયતાનો
અભિગમ, વિવરણપ્રધાન શૈલી
વગેરેથી એમનું વિવેચન મુખ્યત્વે સંસ્કૃત પરિપાટીએ તત્ત્વચર્ચાને ઉપસાવે છે.
સૌજન્ય : gujaratisahityaparishad
