Republic Day - 2019

03 January 2019

દેશળજી પરમાર



 દેશળજી કહાનજી પરમાર (૧૩-૧-૧૮૯૪, ૧૨-૨-૧૯૬૬): કવિ. ગણોદ (તા.ગોંડલ)ના વતની. જન્મ સોરઠના સરદારગઢમાં. પ્રાથમિક અભ્યાસ લોધીકામાં. ૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. કાયદાના અભ્યાસ માટે મુંબઈ ગયા પરંતુ બે વાર અનુત્તીર્ણ થવાથી ત્યાં જ વીસમી સદીમાં હંગામી કારકુન. ૧૯૧૮માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલની કૉલેજમાં શિક્ષક. ૧૯૨૨માં વનિતાઆશ્રમ, અમદાવાદમાં શિક્ષક. એ દરમિયાન કુમારમાં કાર્ય. ૧૯૩૧માં ગોંડલના રેવન્યુ ખાતામાં. ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ. ૧૯૫૩માં નિવૃત્ત. ગોંડલમાં અવસાન.

ગીત, સોનેટ, દીર્ઘકાવ્ય, મુક્તક વગેરે સ્વરૂપોમાં એમની ભાવનાશીલતા, રાષ્ટ્રભાવના અને અંગત સંવેદનો વ્યક્ત થયા છે. કલ્પના ઊર્મિનો ઉછાળ અને લયની કમનીયતા એમના ગીતોનો વિશેષ છે.


સૌજન્ય : gujaratisahityaparishad