Republic Day - 2019

03 January 2019

ગની દહીંવાલા



 અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ‘ગની દહીંવાલા’ (૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭): ગઝલ કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં સ્વરસંગમનામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્રદૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.

લોકપ્રિય ગઝલકાર છે. પ્રણય મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. કેટલાંક ગીતો અને મુકતકો પણ એમણે લખ્યાં છે.

સૌજન્ય : gujaratisahityaparishad