Republic Day - 2019

04 January 2019

પંડિત બેચરભાઈ દોશી



 બેચરદાસ જીવરાજ પંડિત/દોશી (૨-૧૧-૧૮૮૯, ૧૧-૧૦-૧૯૮૩): સંશોધક, પાલી, પ્રાકૃત, અપભ્રંશના અભ્યાસી, ભાષાશાસ્ત્રી. જન્મ વળા-વલ્લભીપુરમાં ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ કરી કાશીની યશોવિજયજી જૈન પાઠશાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરેનો અભ્યાસ. કૉલકતાની સંસ્કૃત કૉલેજમાંથી જૈનન્યાય તેમ જ વ્યાકરણ સાથે ન્યાયતીર્થતેમ જ વ્યાકરણતીર્થ’. કોલંબોના વિદ્યોદય પરિવેણમાં પાલી ભાષાનો અભ્યાસ. પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાકૃત અને અપભ્રંશના અધ્યાપક. લા.દ.વિનયન મહાશાળામાં પ્રાકૃતના અદ્યાપક. ૧૯૬૫માં નિવૃત્ત થઈ લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં માનાર્હ સંશોધક.

એમનું મહત્ત્વનું પ્રદાન જૈન પ્રાકૃત વાચનાઓનું પ્રમાણભૂત સંપાદન તેમ જ પ્રાચીન સાહિત્ય, ઐતિહાસિક અને તુલનાત્મક ભાષાશાસ્ત્રના અભ્યાસમાં છે.

સૌજન્ય : gujaratisahityaparishad