કોણાર્ક સૂર્ય મંદિર , ભારતના ઑડિશા
(ઓરિસ્સા) રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ
પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા
બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા
સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે. કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર
સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ
સુંદર બનાવાયા છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડા થી
ખેંચાતા સૂર્ય દેવ ના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી
શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણ
વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે. અહીં સૂર્યને બિરંચિ-નારાયણ કહેતા
હતાં.
આ મંદિર સૂર્ય દેવના રથના
રૂપમાં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે.
સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં
બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય
છે. હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણાં ચિત્રોમાં
દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને
પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ
પહોરને દર્શાવે છે.
મુખ્ય મંદિર ત્રણ
મંડપોમાં બનેલ છે. આમાં થી બે મંડપ પડી ચુક્યાં છે.
મુખ્ય મંદિર ત્રણ
મંડપોમાં બનેલ છે. આમાંથી બે મંડપ પડી ગયા છે. ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી
ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી અને પત્થર ભરાવી બધાં દ્વારોને
સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતાં, જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે.[૪] આ મંદિરમાં
સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે:
બાલ્યાવસ્થા-ઉદિત સૂર્ય- ૮ ફીટ
યુવાવસ્થા-મધ્યાહ્ન સૂર્ય- ૯.૫ ફીટ
પ્રૌઢાવસ્થા-અસ્ત સૂર્ય-૩.૫ ફી
સૌજન્ય : wikipedia