અશોક : લોહીવાને મટાડનાર
અંગ્રેજી : Ashoka Tree લેટીન : Saraca Indica
પરિચય
:
આસોપાલવ એ
અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વીશાળ થાય છે. એનાં પાન પણ આંબાનાં
જેવાં જ હોય છે. એનાં ફળ ઉનાળામાં જાંબુ જેવાં થાય છે, જે ખાઈ ન શકાય તેવાં અત્યંત કડવાં હોય છે.
ગુણધર્મો
:
અશોક શીતળ,
કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તુરું હોય છે. તે શોષ, ગળા પર થતી ગાંઠ, દાહ, કૃમી, સોજો, વીષ અને રક્તના વીકારો મટાડે છે. અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા
મટાડે છે. એની છાલમાંથી બનાવાતું દ્રવ અશોકારીષ્ટ અનેક સ્ત્રીરોગોમાં વપરાય છે. જે
દરેક જાણીતી ફાર્મસી વેચે છે. અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખુબ ઉપયોગી ઔષધ છે.